કબજિયાત
કબજિયાત શું છે? બીજું કંઈ નહીં, "શરીરે" કરેલો "મળનો લોભ"... મનમાં એટલા લોભ સાથે જીવન જીવાતું હોય, કે ધીરે ધીરે શરીરને પણ લાગવા લાગે કે આપણે તો બસ "ભેગુ જ કરવાનું" છે... જ્યારે પેટ સહેલાઇ થી સાફ થવું એટલે દાન... મુક્તિ... લઘુતા... હાશ... બીજું કે લાલચ ના કારણે "ખાવા માટે જીવવાની" એવી ટેવ પડી ગઈ છે કે ત્રણેય ટાઈમ જમી જ લેવું છે! પછી ભલે પેટ ખાવાનું માંગતું જ ના હોય! કે ભૂખ લાગી જ ના હોય! બસ "ખાવાનો સમય" સચવાવવો જોઈએ.. ખાવાનું "કામ" પતવું જોઈએ.. ત્યારે કાચા, અધકચરા ને પચેલા ખોરાક ને મળની ગાડીઓનો થતો ટ્રાફીક જામ એટલે "કબજિયાત".. Watch on Instagram