મોજ-એ-દરિયા | “મોજ v/s આનંદ” - પાર્ટ 1
“ મોજ v/s આન ંદ ” " મજા ક ્યાંથી લ ેવી એ પણ એક હેલ્થી સ ્કિલ છ ે . .! " ન્યૂટનનો પહેલો નિયમ કહે છે કે “જ્યાં સુધી વસ્તુ પર બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી વસ્તુ જે સ્થિતિમાં ( સ્થિર હોય તો સ્થિર અને ગતિમાન હોય તો ગતિમાન) રહેશે...” આ વસ્તુ પરનો નિયમ માણસ, મન, વિચારસરણી અને આપણા જીવન પર પણ એટલો જ લાગુ પડે છે.. આપણે આપણું જીવન જીવીએ જ છીએ પણ આપણી વિચારધારા અને આપણાં દૃષ્ટિકોણ થી.. પણ જીવનમાં અમુક બનાવો બને અથવા કોઈ સારું પુસ્તક મળે કે કોઈ જ્ઞાની મળે તો ચોક્કસ આ વિચારધારા અને દૃષ્ટિકોણ, ને એકંદરે જીવન બદલાય છે. ટૂંકમાં, આપણે આપણાં જીવન, આપણી દિશા, વિચારો, કાર્ય ને “ AS A THIRD PERSON ” જોવું પડે, નહીં તો વર્ષો જીવ્યા પછી છેલ્લે જ્ઞાન થાય ને “હવે જીવનમાં વર્ષો બચ્યા જ કેટલા?” અથવા “ अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत ” નો ભાવ જાગે.. આજનો આ આર્ટીકલ પણ આવો જ “એક વિચાર” છે.. બને એટલા સરળ શબ્દો માં લખેલ છે છતાં જરૂર પડે 2 વાર વાંચજો. મારો દાવો છે કે આ તમારા જીવનમાં અને અભિગમ માં ચોક્કસ બદલાવ આવશે.. ...